ભાજપે સરમુખત્યારનું LIVE ઉદાહરણ આપ્યું: એક તરફ PM નરેન્દ્ર મોદી અને બીજી બાજુ રાહુલ ગાંધી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03072024_075744_526 (1).webp)
- 03 Jul, 2024
ભાજપે બુધવારે લોકસભાના બે વીડિયો શેર કર્યા છે. એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધપક્ષના સાંસદને પાણીનો ગ્લાસ આપતા દેખાઈ રહ્યાં છે. જ્યારે બીજા વીડિયોમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરોધ પક્ષના સાંસદોને લોકસભામાં વિરોધ કરવાની ટકોર કરતા દેખાઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં આ ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોશન ઓફ થેન્ક્સ ડિબેટ દરમિયાન બની હતી.
બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શાહઝાદ પુનાવાલાએ ઈન્ડિયા ગઠબંધનની સંસદમાં સતત સૂત્રોચ્ચારો કરવા બદલ ઝાટકણી કાઢી હતી. ઈન્ડિયા બ્લોકે જ્યારે સૂત્રોચ્ચાર કર્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના બંને ગૃહોના સંબોધન પછી મોશન ઓફ થેન્કસનું સંબોધન કરી રહ્યાં હતાં.
તમારી ડાબી તરફના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરોધપક્ષના સાંસદોને ઈશારા કરીને વિરોધ કરવા માટે ઉશ્કેરી રહ્યાં છે. તેના પગલે કેટવાક વિરધપક્ષના સભ્યો ગૃહની વેલમાં પ્રવેશીને નારાબાજી કરતા દેખાઈ રહ્યાં છે. જ્યારે તમારી જમણી તરફનો વીડિયો જેને પુનાવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, તેમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન મોદી નારાબાજી કરી રહેલા સાંસદોને પાણી આપી રહ્યાં છે. જોકે વડાપ્રધાન મોદીએ જે સાંસદને પાણી આપવા કહ્યું તેણે પીએમની પાણી આપવાની વાતને ઠુકરાવી હતી અને પીએમનો આભાર માન્યો હતો. જોકે બીજા વિરોધપક્ષના સાંસદે પીએમએ ઓફર કરેલા પાણીના ગ્લાસને સ્વીકાર્યો હતો અને તેમણે આ પાણી પી લીધું હતું.
બે તદન વિરોધી ફોટોગ્રાફ્સ
ફોટો 1: લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી આ ફોટામાં અન્ય નેતાઓને નિયમો ભંગ કરવા અને વેલમાં કૂદી જવા માટે ઉશ્કેરતા દેખાઈ રહ્યાં છે, જેથી કરીને વડાપ્રધાનના વકત્વયને પહેલા જ ખલેલ પહોંચે.
ફોટો 2: વડાપ્રધાન મોદી જે સંસદ સભ્ય વિરોધ કરી રહ્યાં છે, તેમને જ ખલેલ પહોંચાડી રહ્યાં છે, તેમને પાણી માટે પૂછી રહ્યાં છે. હવે તમે નક્કી કરો કે સરમુખત્યાર કોણ છે? શું રાહલ ગાંધી વિરોધપક્ષના નેતાના પદ માટે પણ પાત્ર છે?
મંગળવારે લોકસભામાં વડાપ્રધાને તેમના વકતવ્ય દરમિયાન હિન્દુત્વને ખોટી રીતે બદનામ કરવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. આ સિવાય તેમણે કોંગ્રેસના "જસ્ટિસ ફોર મણિપુર" અને "ભારત જોડો"ની પણ ટીકા કરી હતી. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ અને તેની સમગ્ર ઈકોસિસ્ટમ હિન્દુત્વનું અપમાન કરવામાં લાગી છે.